Posts

Showing posts from April, 2022

ભાજપ ના સ્થાપના-દિન નિમિતે લાંભા વોડૅ યુવા મોરચા દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજવામાં આવી..

Image
ભાજપ ના સ્થાપના-દિન નિમિતે લાંભા વોડૅ યુવા મોરચા દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજવામાં આવી..

હરસિધ્ધી શક્તિ પીઠ લાડોલ ૨ વર્ષ પછી મા ના ધામે ભવ્ય ચૈત્ર નવરાત્રી મહોત્સવ ઉજવણી થઈ

Image
હરસિધ્ધી શક્તિ પીઠ લાડોલ ૨ વર્ષ પછી મા ના ધામે ભવ્ય ચૈત્ર નવરાત્રી મહોત્સવ ઉજવણી થઈ  પ્રથમ દિવસે માતાજી ને માંડવી મા ધામ ધુમ થી બીરાજીત કરવા મા આવ્યા  નવ દિવસ મા ના ચોક મા ભજન-કીર્તન તથા ગરબા થશે આઠમ ના દિવસે રાત્રે ૧૦૮ દિવાની મહાઆરતી નો ચઢાવો થશે…. નવ નવ દિવસ મા ના ગુણગાન ભક્તો દ્વારા થશે……પધારો લાડોલ ગામ……મા હરસિધ્ધી ને ધામ….

કેજરીવાલ આજે નિકોલમાં રોડ શો થી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

Image
 દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ આવી પહોંચ્યા છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચારની શરૂઆત કરવા માટે AAPના બંને નેતાઓ શનિવારે પૂર્વ અમદાવાદમાં 1.5 કિલોમીટરના રૂટ પર રોડ શો કરશે.  આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે રોડ શોમાં 50,000 લોકો હાજર રહેશે. શનિવારે સવારે તેઓ ગાંધી આશ્રમ જશે, જ્યાં તેઓ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે ,ત્યારબાદ તેઓ સાંજે 4 વાગ્યે નિકોલ ખાતે રોડ શો કરશે ,6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થયા થશે.  નિકોલના ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સરદાર મોલ સુધીના 1.5 કિમીના રોડ પર યોજાશે જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સહિત અંદાજે 50,000 લોકો ઉપસ્થિત રહેશે.  રવિવારે સવારે 10 વાગ્યે કેજરીવાલ અને માન શાહીબાગમાં અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર જશે.  ત્યાંથી અમદાવાદની હોટલ પરત ફરીને તેઓ આપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી બેઠકો કરશે.