અમદાવાદ શહેરના મોટા અને જાણીતા બિલ્ડર મજેઠીયા બંધુના ઘર અને ઓફિસો પર આઇટી વિભાગ ના દરોડા
અમદાવાદમાં આવકવેરા દ્વરા વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.. શહેરના મોટા અને જાણીતા બિલ્ડર મજેઠીયા બંધુના ઘર અને ઓફિસો પર આઇટી વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે..સિંધુ ભવન રોડ પર આવેલા ઊર્મિન બંગલો પર સર્ચની કામગીરી કરાઇ રહી છે..પાન મસાલા બનાવતી જાણીતી બાગબાન કંપની પર પણ સર્ચની કામગીરી હાથ ધરાઇ છે..
તપાસમાં 100 જેટલા itના કર્મચારીઓ સહિત 10 જેટલી ટીમો ડોક્યુમેન્ટ દ્વારા એનાલિસિસ કરી રહી છે..દરોડા બાદ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે .. અગાઉ ઇન્કમટેક્સ દ્વરા શહેરના જાણીતા શિવલિક શિલ્પ ગ્રુપ પર દરોડા પાડયા હતા જેમાં પણ કરોડો રૂપિયાના બેનામી સંપતિ બહાર આવી હતી..
Comments
Post a Comment