મહાશિવરાત્રીનો ભવનાથ મેળો
જૂનાગઢમાં બે વર્ષ બાદ મહાશિવરાત્રિનો મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. જેથી પ્રશાસને સ્થિતિને સંભાળવા માટે તૈયારીઓ કરી લીધી છે. જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભક્તોને ભવનાથ સુધી લઇ જવા માટે 50 મીની બસનું આયોજન કરવામાં આવ્યું છે. ભાડું માત્ર 20 રૂપિયા છે. આ ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામ જોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા અને ભાવનગરથી જૂનાગઢ સુધી 300 થી વધુ બસો દોડશે.
Comments
Post a Comment